કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નવું પગાર પંચ લાવી શકે છે. ઘણા મીડિયા અહેવાલો અનુસાર, નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં સરકારી કર્મચારીઓ માટે 8 મું પગાર પંચ લાગુ કરવાની તૈયારી કરી રહી છે. જો કે હજુ સુધી સરકાર તરફથી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. જોકે પગારપંચ ના સામાચાર આવતા જ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે હજુ આ બાબતે કોઈ ચર્ચા વિચારણા નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે વેતન પંચ સમયમર્યાદામાં સ્થાપિત કરવામાં આવશે જેથી કરીને તેને 1 જાન્યુઆરી, 2026 થી લાગુ કરી શકાય? આ પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ એક નિવેદનમાં કહ્યું કે સરકારને આઠમા પગાર પંચ માટે કોઈ વિચાર નથી.
કેન્દ્ર સરકારના કર્મચારીઓને 8મા પગાર પંચથી કેવી રીતે ફાયદો થશે?
જો રિપોર્ટ સાચો હોય અને સરકાર 8મા પગાર પંચની સ્થાપના કરે તો સરકારી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો કર્મચારી યુનિયનના પ્રસ્તાવને મંજૂરી મળે તો સરકારનું લઘુત્તમ વેતન 18,000 રૂપિયાથી વધીને 26,000 રૂપિયા થઈ શકે છે. સરકાર ફિટમેન્ટ ફેક્ટરમાં 3.68 ગણો વધારો કરી શકે છે. પગાર પંચ દર 10 વર્ષે આવે છે. કર્મચારીઓ માટે પગાર પંચ દર દસ વર્ષમાં માત્ર એક જ વાર લાગુ કરવામાં આવે છે. 5મા, 6મા અને 7મા પગાર પંચના અમલીકરણમાં પણ આ જ પેટર્ન જોવા મળી છે. સામાન્ય રીતે એવો અંદાજ છે કે 8મું પગાર પંચ 2023માં સ્થાપવામાં આવશે અને તેની ભલામણો 2026માં લાગુ થઈ શકે છે.